Saturday, 10 April 2021

સંસ્કારનું ફૂલ

 


સંસ્કારનું ફૂલ ....સંસ્કારનું ફૂલ ........સંસ્કારનું ફૂલ ............
સંસ્કારનું ફૂલ સાંભળતા બધાને એવું લાગે કે કોઈ ફિલોસોફી પ્રકારનો કોઈ વિષય પર હશે . અને તેમાં યુવાનો વિષે કલ્પના ના કરવી. તે લોકો માટે તો બોરિંગ સબ્જેક્ટ જેવુ લાગે છે ...સંસ્કારનું ફૂલ ...

ના એવું નથી ...આ કોઈ કંટાળાજનક વિષય નથી ,કોઈ ની આપવીતી નથી.આતો માત્ર શેષ છે.

હમણાં સૌ માનવીને હચમચાવી રહલી બીમારી કોરોના એ આજે માનવી માનવી ને મોઢું બતાવાં જેટલો પણ  રાખ્યો નથી .ખરેખર આ કુદરત ની એક ચાલ છે. આજે પ્રાણીસુર્ષ્ટિને  બહાર નિકરવાનો અને તેહલવાનો સમય આવ્યો છે, જ્યારે માનવીને પાંજરા માં પુરવાનો સમય આવ્યો છે. 

કોરોના ની સાથે સાથે માનવી સાવ નીરસ થઈ ગયો છે. બેચેની,અકડાપણું,ગુસ્સો વગેરે જેવી માનસિક બીમારી નો ભોગ બની રહો છે.એવું નથી માનવી એ આવા સમય માં પોતે બહાર નહીં પણ અંદર જોવાનો પ્રયત્નો કરવો જોઈએ. પોતાના આત્માની અંદર ની વાત કરી રહો છું. જ્યારે પોતાનો આત્માને જાણસે ને આ કોરોના જેવી બીમારી પણ ચાલી જસે અને કોરોના આગળ આગળ  અને માનવી તેને હરાવવા માટે પાછળ પાછળ દોડશે .પણ એવું શું હસે.......જે આજના કોરોના ના કાળ  માં માનવી તેના માટે શું કરવું જોઈએ??????

બસ એ માટે હું અહિ. કેટલા અંશો નો ચિતાર રજૂ કરીશ  જેથી થોડુક  પણ માનવી પોતાના માટે આ સંસ્કારનું ફૂલ માથી  થોડું પણ પોતના માટે ઉપયોગ કરશે ને કોઈ એવી  તાકાત નથી કે માનવી ને હરાવી શકે.. 

સંસ્કાર નું ફૂલ એ માનવી ના કપરા સંજોગો માં લડવાની તાકાત તેમજ નાસીપાસ થયેલા  માનવીને   એક આશાસ્પદ વ્યકિત બનાવશે.
તેમાં મારા દ્વારા કેટલાક મારા પોતના પણ અગંત વિચારો અને બનેલી ઘટનાઑ  પણ રજૂ કરીશ.     




બાળપણ ...આ સમય તો દરેક માનવી તેના જીવન માં થી પસાર થઈને આવ્યો છે.  જો પાછું આવું બાળપણ મલે તો ...?

શું  સમય હતો તે વખતનો ?...આજે યુવાની માં તેને યાદ કરવું એક દવા સમાન છે।


પિતા સાથે સ્કૂટર પર ફરવાજવું,દાદા સાથે ની વાતો..કુદરતના ઝૂલે ઝૂલવા ના દિવસો આજે પણ સમરણ થાય છે. .પેલા મસ્તીખોર મિત્રો જાણે અત્યારે ક્યાં ચાલ્યા  ગયા છે???. કેટલાક આવારા મિત્રો આજે પણ છે.પણ ત્યારની વાતનો સમય નથી.....તે છે બાળપણ .ગીલી દંડાની રમત,લખોટીનો અવાજ , કપડા ધોવાનો પાયો, પ્લાસ્ટિકનો બોલ , ઈશ્વર કાકા ની સાઇકલ અને તેમનું આમ્ર ચૂર્ણ ....ક્યાં ગયા આ દિવસો.


પણ સાલું બાળપણથી લઈને આજે યૌવન ની સ્થિતિ માં આજેય જીંદગીનો ખરો મર્મ સમજયો છે.કપરા સંજોગો, આફત માં સુ કરવું કે સુ ના કરવું ? તેની સમજણ આજે છે પણ તે સમજણ ........ચાલો છોડો આપણે તેને સંસ્કારનું ફૂલ મારી એક પુસ્તક છે ને હું ભવિષ્ય માં બધા સમક્ષ રજુ કરીશ....પણ તેમના કેટલા અંશો હું આ સોફ્ટ કોપી માં પણ આપીશ....ડિજિટલ યુગ છે યાર આ.....


ચલો મિત્રો તો બધાને બીજા પાનાં પર મળીશું ...તો આપણે શરૂઆત કરીએ જેથી લોકો થોડી પ્રેરણા મારી સાથે થી પણ લઈ શકે. શ્રી ગણેશાય તો કરીયે................

" દોસ્તો આ દુનિયા માં પ્રભુ એ આપણને અહી કોઈ કાર્ય કરવા  માટે જન્મ આપ્યો છે, તો તે કાર્યને પોતાના આંતરત્મા ને  પારખીને તે પરભુનો આભાર તો માણીએ "


અમિત રાણા (પ્રકૃતિ માણસ)





No comments:

Post a Comment

હસતાં રહો

હાસ્ય એ સૌથી મોટી કુદરતની ભગવાન દ્વારા અપાયેલી ભેટ છે .હું અમિત, મારા માટે હાસ્ય મારા ખરાબ અને વિકટ સ્થિતિ માં એક દવા સમાન  રહી હતી અને રહે...